અચળ જળ
સ્થિર પ્રતિબિંબ
વિંધ નયન
બાબુલ
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
અફસોસ ! અફસોસ કે સમયને પાછો નથી લઇ જઈ શકાતો, ના તો બનેલી ઘટનાઓ ને બદલી શકાય છે. આવી જ કોઈ વ્યથામાં શાયર અહીં લખે છે... ખોવાયેલી તકો વિષે, અને શાયર નું એ insight કદાચ બીજા સૌને મદદરૂપ થાય એમ માની ને કદાચ શાયર એમની વેદના ને આમ વર્ણવે છે....
આત્માનો અવાજ ખૂબ પ્રભાવશાળી હોય છે, એ જ તો છે માણસાઈનો સાચો ધબકાર. વ્યક્તિગત રીતે આપણે સહુ બાહ્ય વિશ્વમાં એવા મશગુલ રહીએ છીએ અને એના પ્રભાવમાં આવી જઈએ છીએ કે મનોમન અડચણો એકઠી કરતા જઈએ છીએ, આડશો - દિવાલો ઉભી કરીએ છીએ અને એમાં (છટક)બારીઓ ગોઠવીએ છીએ. અંતર એના પડછાયાના બિહામણા અંધારમાં સબડતું રહે એ કરતાં આત્માનો સાચો ઉજાસ એમાં શાતા પ્રસરાવે એ માણસ માટે વધુ ઈચ્છનીય છે. કવિના ઋજુ હૃદયમાં પડઘાયેલો એવો જ કોઈ સંદેશ એક ગઝલ ના શેરમાં કેવો અદભૂત ઝિલાયો છે...
આ ઊર્મિગીત નરી સંવેદનાથી છલોછલ છે. એમાં સ્પર્શની નજાકત છે, રસીલું કંપન છે, કોઈ અદભૂત અવસરનું ઘટ્ટ રહસ્ય છે.... સમયપટ ઉપર અંકાયેલું સ્વપ્નિલ ચિત્ર, રંગવિહીન, તરસતું ને છતાં રોચક - રોમાંચક; એવું કે જંપવા જ ના દે! એથી જ તો એ સદાબહાર પુલકિત રહ્યું છે!
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...