શુક્રવાર, 12 માર્ચ, 2010

પાર કરી દે

આત્માનો અવાજ ખૂબ પ્રભાવશાળી હોય છે, એ જ તો છે માણસાઈનો સાચો ધબકાર. વ્યક્તિગત રીતે આપણે સહુ બાહ્ય વિશ્વમાં એવા મશગુલ રહીએ છીએ અને એના પ્રભાવમાં આવી જઈએ છીએ કે મનોમન અડચણો એકઠી કરતા જઈએ છીએ, આડશો - દિવાલો ઉભી કરીએ છીએ અને એમાં (છટક)બારીઓ ગોઠવીએ છીએ. અંતર એના પડછાયાના બિહામણા અંધારમાં સબડતું રહે એ કરતાં આત્માનો સાચો ઉજાસ એમાં શાતા પ્રસરાવે એ માણસ માટે વધુ ઈચ્છનીય છે. કવિના ઋજુ હૃદયમાં પડઘાયેલો એવો જ કોઈ સંદેશ એક ગઝલ ના શેરમાં કેવો અદભૂત ઝિલાયો છે...

મારી આ દિવાલોથી મને પાર કરી દે
બારીથી મને એક વખત દ્વાર કરી દે
...
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા
તારાથી હવે થાય તો અંધાર કરી દે ...

ગૌરાંગ ઠાકર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...