શનિવાર, 19 જૂન, 2010

સમજો તો

જુદા અભિગમ, જુદા પ્રમાણ, જુદી માન્યતાઓ, જુદી શૈલી સમાજ ને, સંસ્કૃતિને , સાહિત્યને ભાતીગળ કરે છે સમૃદ્ધ કરે છે. એ માટે જરૂરી છે સમજ... જો સમજ કેળવાય તો માણસ કેળવાય - સમાજ કેળવાય! ... સમજવા સમજાવવા અંગે ગાલિબનો આ શેર જોઈએ તો:
યા રબ વો ના સમઝે હૈ 
ન સમઝેંગે મેરી બાત
દે ઔર દિલ ઉનકો
જો ન દે મુઝકો જુબાં ઔર.

સૌજન્ય: ડૉ. દાઉદભાઈ ઘાંચી

આર્ટ ગેલેરી - બાબુલ

આર્ટ ગેલેરી
કેટલી યે
આંખોમાંથી ઉમટેલાં
ટોળાબંધ ગીધડાં
નફ્ફટ થઇ ટોચ્યા કરે છે
એક નિષ્પ્રાણ દેહને
વરસોથી
...
ખીટીથી ટીંગાવાની
ઈસુ યાતના
જીવતી રાખી છે
ચિતારાઓએ 
ઝળહળ દીવાલો પર
બાબુલ  
ડાર્લિંગટન -ઈસ્ટ કોસ્ટ ટ્રેન ૧૪/૬/૧૦ 

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...