શનિવાર, 14 મે, 2011

'કક્કાજી ની અકવિતા' - ચંદ્રકાંત શેઠ

શ્રી ચંદ્રકાંત શેઠની 'કક્કાજી  ની અકવિતા'  'લયસ્તરો' ( http://layastaro.com/?p=6502  ) પર જોઈ એના પ્રતિભાવમાં કાંઇક આમ સ્ફુરેલું. ... શ્રી ચંદ્રકાંત શેઠના કાવ્યના શબ્દોની જ પુનર્ગોઠવણીથી નિષ્પન્ન લઘુ કાવ્ય સાદર છે ...


પરંપરાને સાંપ્રત સાથે સાંકળે, અને હ્રદયથી જે ઉભરે એ ભાષા વધુ પ્રભાવકારી હોય છે. શેઠ સાહેબ જાણે કાવ્ય પંખીને મુક્ત વિહરવા આહ્વાન કરે છે, આ શબ્દો તો ખૂબ બોલકા લાગ્યા… એ સ્વયં કાવ્ય જ છે !
…કવિતા નથી
છંદની છ હજાર વર્ષ જૂની …
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા ….
…ભદ્રંભદ્રનાં…
દિમાગમાં!
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
ને મોજથી જીવે છે.
બાબુલ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...