શનિવાર, 23 જાન્યુઆરી, 2010

જગઝાળા પર શબ્દોમાં ઓગળેલી અનુભૂતિઓના અવતરણ ધીમે ધીમે પાકટ થતા જાય છે.  એક વરસ પૂરું થયાના  ટાણે સર્વશ્રી મનોજ ખંડેરિયા નું અવતરણ ટાંકું છું -

મને સદભાગ્ય કે શબ્દ મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે

...અને સદભાગ્યે આ સફર હજુ જારી છે, આ શબ્દરસનો  સમજાવ, સમભાવ, સદભાવ અવતરણ ના સ્વભાવમાં આત્મસાત થાય એ જ અભ્યર્થના. આશા છે કે આપ સૌ અવતરણ માણતા રહેશો. 

રસમ અહીં ની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
...
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઇ જાય ચોખ્ખા  
(મનોજ ખંડેરિયા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...