ગુરુવાર, 26 નવેમ્બર, 2009

શું થયું મુંબઈ - કૃષ્ણ દવે


શું થયું મુંબઈ?
બધ્ધું જ શમી ગયું ને!
એ તો સ્મશાન વૈરાગ્ય!
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય,
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં?
રોઈ રોઈ ને આંખ સુજી ગઈ ને?
ચલ હવે શાંતિથી ઉંઘી જા,
બીજી કોઈ ઘટના ના બને ત્યાં સુધી.

કૃષ્ણ દવે   

1 ટિપ્પણી:

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...