શનિવાર, 31 જુલાઈ, 2010

જન્મદિન મુબારક



આજ ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિચારક અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ  (અમારા પિતાશ્રી) ડૉ.દાઉદભાઈ ઘાંચીનો જન્મદિન છે, એમને ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. એમના સ્વસ્થ દીર્ઘાયુની દુઆઓ સહ આ મુક્તક એમની એક ટચૂકડી ઓળખાણ-  

ના અછત કોઈ દિ ના તો છત નડી છે
આકાશ પ્રસરે એમ  નજર ઘડી છે
આ ખડક ખીણ ને પહાડ વળોટીને
નીકળ્યા અમે ત્યાં પગથી પડી છે. 
બાબુલ 
૩૧ જુલાઈ ૨૦૧૦  

સોમવાર, 26 જુલાઈ, 2010

સૂરજ

સૂરજને હેરાન કરવાની એક તક
વાદળી રાતનો અંધકાર એ શક
બાકી સૂરજ સરકાર, સૂરજ મુલક
પછી ઉજાસ અંગે આપણો શો હક 

બાબુલ (૧૯૮૬)

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...