શનિવાર, 1 મે, 2010

ગુજરાત

આજ ગુજરાતદિન નિમિત્તે શુભેચ્છા સહ-

નથી કેવળ
હવે હૃદય મારું 
ગુજરાત છે 

બાબુલ

રવિવાર, 25 એપ્રિલ, 2010

ખરા ઈલમી - ખરા શૂરા


ગુજરાતી કવિતાનો જન્મ નરસિંહના પદોથી થયેલ. એ જ નરસિંહ ઉપર તાજેતર માં એક કાર્યક્રમ યોજાઈ ગયો. મારાં બહેન, હિનાબહેને  ગુજરાતી વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે  નરસિંહની ભક્તિ, પ્રેમ, માટે યોજાયેલ નૃત્યનાટિકાના કાર્યક્રમ દરમ્યાન રજુ કરેલ વક્તવ્યમાંથી કાવ્ય પંક્તિઓ અહીં ટાંકી છે.

"કલાપી એ નરસિંહ માટે અને મીરાં માટે કહેલ,

હતો નરસિંહ હતી મીરાં 
ખરા ઈલમી ખરા શૂરા.

નરસિંહ  ગોપી ભાવે કહે છે,
કોણ પુણ્યે કરી નાર હું અવતરી,
શ્રી હરિ દીન થઇ દાન માંગે.

મેલી પુરુષપણું સખી  રૂપ થઇ રહ્યો ,
તારા પ્રેમથી  હું રે રાચ્યો."


સૌજન્ય: હિનાબહેન શુક્લ

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...