શુક્રવાર, 12 માર્ચ, 2010

પાર કરી દે

આત્માનો અવાજ ખૂબ પ્રભાવશાળી હોય છે, એ જ તો છે માણસાઈનો સાચો ધબકાર. વ્યક્તિગત રીતે આપણે સહુ બાહ્ય વિશ્વમાં એવા મશગુલ રહીએ છીએ અને એના પ્રભાવમાં આવી જઈએ છીએ કે મનોમન અડચણો એકઠી કરતા જઈએ છીએ, આડશો - દિવાલો ઉભી કરીએ છીએ અને એમાં (છટક)બારીઓ ગોઠવીએ છીએ. અંતર એના પડછાયાના બિહામણા અંધારમાં સબડતું રહે એ કરતાં આત્માનો સાચો ઉજાસ એમાં શાતા પ્રસરાવે એ માણસ માટે વધુ ઈચ્છનીય છે. કવિના ઋજુ હૃદયમાં પડઘાયેલો એવો જ કોઈ સંદેશ એક ગઝલ ના શેરમાં કેવો અદભૂત ઝિલાયો છે...

મારી આ દિવાલોથી મને પાર કરી દે
બારીથી મને એક વખત દ્વાર કરી દે
...
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા
તારાથી હવે થાય તો અંધાર કરી દે ...

ગૌરાંગ ઠાકર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...