બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010

હે પ્રભુ - રવીન્દ્રનાથ ટાગોર


જગ્દેશ્વરથી શું માંગવું? એ તો અંતર્યામી છે, આપણી મૂક અને પ્રગટ લાગણીઓ વાંચ્છાનાઓની એને સતત જાણ રહે છે,  આપણી આંતરિક અને બાહ્ય જરૂરિયાતોનો એને ખ્યાલ છે છતાં માનવ સહજ નબળાઈઓમાં ટકી રહેવા એનો સહારો જોઈએ છે  ને? પ્રિય હિનાબેને  પાઠવેલ કવિવરની આ પ્રાર્થના હૃદયસ્પર્શી છે.

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય  ત્યારે
સુંદર રીતે કેમ જીવવું  તે મને શીખવ .

બધી બાબતો  અવળી પડતી  હોય ત્યારે ,
હાસ્ય અને આનંદ કેમ ના ગુમાવવા  તે મને શીખવ .
પરિસ્થિતિ  ગુસ્સો પ્રેરે  એવી  હોય ત્યારે ,
શાંતિ કેમ રાખવી  તે મને શીખવ .

કામ અતિશય  મુશ્કેલ  લાગતું  હોય ત્યારે ,
ખંત થી  તેમાં  લાગ્યા  કેમ રહેવું તે મને શીખવ .

કઠોર ટીકા અને નિંદાનો વરસાદ  વરસે ત્યારે ,
તેમાંથી  મારા ખપનું  ગ્રહણ કેમ કરી લેવું તે મને  શીખવ.

પ્રલોભનો , પ્રશંસા , ખુશામત ની  વચ્ચે ,
તટસ્થ કેમ રહેવું  તે મને શીખવ .

ચારે બાજુથી  મુશ્કેલીઓ  ઘેરી  વળે,
શ્રદ્ધા ડગુમગુ  થઇ  જાય ,
નિરાશાની  ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય  અને શાંતિથી  તારી કૃપાની  પ્રતીક્ષા 
કેમ કરવી  તે  મને  શીખવ .

રવીન્દ્રનાથ ટાગોર

સૌજન્ય: હિના શુક્લ (અમદાવાદ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...